રવેચીનો મેળો
- રવેચીની મેળો કચ્છ જિલ્લાના રાપર ખાતે રવેચી માતાના મંદિરે ભરાય છે.
- આ મેળો દર વર્ષે ભાદરવા સુદ સાતમ-આઠમ(અંગ્રેજી મહિનાના સપ્ટેમ્બર)એ ભરાય છે.
- રાપર ખાતે બે દિવસ ભરાતા આ મેળામાં ત્યાંની સંસ્કૃતિનું દર્શન થાય છે.
- રવેચીના મેળામાં જુદા જુદા પ્રકારના નૃત્યો અને ત્યાંની કલાનું અદભુત દર્શન કરવા મળતું હોય છે.
- રવેચીના આ મેળામાં આશરે ૩૦,૦૦૦ કરતા પણ વધારે લોકો દૂર દૂરથી મેળાને નિહારવા માટે આવતા હોય છે.
- આ મેળાને કચ્છના "તળપદી તોરણ" તરીકે ઓળખવામાં આવે છે.
0 Comments