પલ્લીનો મેળો
- આજે આપણે ગુજરાતમાં રૂપાલ ગામે ભરાતા પલ્લીના મેળા વિશે વાત કરીશું.
- પલ્લીનો મેળો ગુજરાતના પાટનગર ગાંધીનગરથી આશરે ૧૫-૨૦ કિલોમીટર દૂર આવેલ રૂપાલ ગામમાં વરદાયિની માતાના મંદિરે દર વર્ષે આસો નવરાત્રી દરમ્યાન ભરાય છે.
- અહીં ગામના લોકો વરદાયિની માતાના મંદિરેથી આસો સુદ નોમના દિવસે માતાની પલ્લી ઊંચકીને આખા ગામમાં ફેરવે છે.
- અહીં મોટી ખાસિયત એ છે કે ગામના લોકો વરદાયિની માતાને પ્રસન્ન કરવા માટે માતાજીની પલ્લી પર ચોખ્ખું ઘી ચડાવે છે. અને તમને જોતા એમ લાગશે કે જાણે ગામમાં ઘીની નદીઓ વહે છે.
0 Comments