- પાંડુરીમાતાનો મેળો નર્મદા જિલ્લાના દેવમોગરામાં ભરાય છે. અહીં દેવમોગરા માતાનું મંદિર પણ આવેલું છે.
- મેળાનું આયોજન મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવે છે.
- પાંડુરી માતા જે પાંડવોની માતા કુંતી છે. તેથી આ ક્ષેત્રના આદિવાસીઓ પાંડુરી માતાને પોતાની કુળદેવી માને છે.
- માતા કુંતીના આખા ભારતમાં ફક્ત બે જ મંદિરો આવેલા છે. ૧). મહેસાણા જિલ્લાના આસજોલમાં અને ૨). નર્મદા જિલ્લાના દેવમોગરામાં આવેલું છે.
- અહીંના લોકો પાંડુરી માતાને 'યાહામોગીમાતા' તરીકે પણ ઓળખે છે.
- અહીંના આદિવસી લોકો પોતાની કુળદેવી પાંડુરીમાતાના આશીર્વાદ લઈને પોતાના સારા કાર્યોની શરૂઆત કરે છે.
0 Comments