વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા નામના ગામે ભરાય છે.
આ મેળો જ્યાં વૌઠા ગામમાં ભરાય છે ત્યાં સાત નદીઓના પાણીનું સંગમ થાય છે. તેને ત્યાંના લોકો પવિત્ર તીર્થ માને છે.
આ સાત નદીઓની વાત કરીએ તો, ૧) સાબરમતી, ૨) શેઢી, ૩) મેશ્વો, ૪) વાત્રક, ૫) ખારી, ૬) હાથમતી, ૭) માઝમ આ સાત નદીઓના પાણી અહીં મળે છે. જેથી આ સ્થળને સપ્ત સંગમ પ્રદેશ પણ કહે છે.
આ વૌઠાનો મેળો કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ભરાય છે.
અહીં આ પાંચ દિવસના મેળામાં ૨૫,૦૦૦થી પણ વધારે લોકો ૨૦૦૦+ તાંબું બાંધીને નદી કાંઠે જ રહે છે.
નજીકના ગામના લોકો પાંચ દિવસ સુધી અહીં મેળામાં આનંદ લે છે. અને અહીંના લોકોનો પ્રિય ખોરાક ખીચુ અને કચરિયું છે.
વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરતા બધા મેળાઓમાં સૌથી મોટો મેળો છે.
અહીંયા આ મેળામાં મોટા પાયે ગધેડા અને ઊંટની લે-વેચ પણ થાય છે. તેથી આ એક પશુ મેળા તરીકે પણ પ્રખ્યાત છે
આ સ્થળ પ્રાચીન રીતે પણ એટલું જ મહત્વનું છે. કેમકે કહેવામાં આવે છે કે હાલનું ધોળકા પ્રાચીન સમયમાં વિરાટ રાજ્ય હતું જ્યાં પાંડવોએ પોતાનો અજ્ઞાતવાસ વિતાવ્યો હતો.
અત્યારે ધોળકામાં ભીમનું રસોડું પણ આવેલું છે.
અહીં જુદા જુદા સંસ્કૃતિક અને લોકનૃત્યના કાર્યક્રમો પણ થાય છે.
ધોળકાના વૌઠા ગામમાં ભરાતો આ મેળો એક આગવું સ્થાન ધરાવે છે.
0 Comments