● શાહઆલમનો મેળો અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ભરાય છે.
● હજરત શાહઆલમ સાહેબ વટવાના પ્રખ્યાત સંત હજરત કુતુબે આલમ સાહેબના પુત્ર હતા.
● અમદાવાદમાં મુસ્લિમ સંતોમાં હજરત શાહઆલમ સાહેબનું નામ પ્રખ્યાત છે. અને આ શાહઆલમનો મેળો તેમની યાદમાં જ ભરાય છે.
● શાહઆલમ સાહેબનું અવસાન ઇ.સ. ૧૪૭૫માં થયું હતું અને તેમની યાદમાં અહીંયા એક રોજો બનાવામાં આવ્યો હતો.
● આ રોજાનું નિર્માણ ઇ.સ. ૧૪૮૩માં તાજખાન નારીયાલી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. જે મહમદ બેગડાના દરબારમાં હતો.
● હજરત શાહઆલમ સાહેબના રોજાની જગ્યા એ જ આ મેળો ભરાય છે.
● શાહઆલમ સાહેબની આ દરગાહ મુસ્લિમ લોકોનું પવિત્ર ધામ ગણાય છે.
● અહીં હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો મેળામાં જોવા મળે છે. અને કોમ એકતા જોવા મળે છે.
0 Comments