- માધવપુરઘેડનો મેળો પોરબંદર જિલ્લાના માધવપુર નામના ગામે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ સુધી ચાલે છે.
- માધવરાયનો મેળા સાથે શ્રીકૃષ્ણના સમયની એક ઐતિહાસિક કથા જોડાયેલી છે.
- આ ઐતિહાસિક કથા પ્રમાણે કહેવામાં આવે છે કે, ભગવાન શ્રીકૃષ્ણ રૂકમણીજી ની વિનંતીથી અહીં પધાર્યા હતા અને તેમનું અપહરણ કરી અને માધવપુરમાં અત્યારે જે જગ્યાએ મેળો ભરાય છે ત્યાં વિવાહ કર્યા હતા.
- આ પ્રસંગની યાદમાં જ અહીં દર વર્ષે મેળો ભરાય છે.
- મધવપુરઘેડના આ મેળામાં અહીં શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન માટેની બધી વિધિ દર વર્ષે કરવામાં આવે છે. અને અહીં જાણે કોઈ લગ્ન પ્રસંગ હોય એવો માહોલ જોવા મળે છે.
0 Comments