ચાડિયાનો મેળો ગુજરાતમાં વડોદરા, ભરૂચ, દાહોદ, અને પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ દ્વારા ધુળેટીના પછીના દિવસોમાં ભરાય છે.
ચાડિયાના મેળામાં એક લાકડાને માનવના રૂપમાં બનાવામાં આવે છે. અને તેના માથા પર નાળિયેર, આંખે કોળિયા અને કપડાં પહેરાવી ઝાડની ડાળી સાથે બાંધવામાં આવે છે. તેના ઉપરથી જ આ મેળાનું નામ પાડવામાં આવ્યું છે.
અને હવે ઝાડ ઉપરથી ચાડીયાને ઉતારવા યુવાનો ચડે છે. અને યુવતીઓ ઝાડની આસપાસ પથ્થરો ફેંકી તેમને રોકવાનો પ્રયત્ન કરે છે.
આ ચાડિયાને જે યુવાન ઉતારે તેને વિજેતા જાહેર કરાય છે. અને તેને ઇનામ આપવામાં આવે છે.
આ મેળો એક આદિવાસી પરંપરા અનુસાર ભરાતો મેળો છે. જેનું આ બધા જિલ્લાઓમાં એક આગવું સ્વરૂપ છે.
0 Comments