- ચૂળનો મેળો ઘણા બધા આદિવાસી વિસ્તારોમાં થાય છે. અને એનું અનેક ઘણું મહત્વ હોય છે.
- ચૂળનો મેળો હોળીના બીજા દિવસે ભરાય છે.
- આ મેળામાં ગામની બહાર એક લંબચોરસ મોટો ચૂલો બનાવામાં આવે છે અને તેમાં અંગારા કરવામાં આવે છે.
- અને ત્યારબાદ આદિવાસી સ્ત્રીઓ અને પુરુષો એક હાથમાં પાણીનો ઘડો ભરે છે અને બીજા હાથમાં નાળીયેર લઈને એ અંગારા પર ખુલ્લા પગે ચાલે છે.
- અને કહેવામાં આવે છે આ અંગારા પર ચાલતા હોવા છતાં તેઓ દાઝતા નથી. અને નાળિયેરને અગ્નિમાં હોમેં છે.
- અહીં એવી માન્યતા છે કે આ રીતે અગ્નિ પર ચાલવાથી તેઓના પરિવારને અને પશુઓની અગ્નિ દેવતા રક્ષા કરે છે.
- ચૂળનો મેળો જોવાનો અને તેમાં ભાગ લેવાનો એક અદભુત જ લહાવો છે.
ચૂળનો મેળો
0 Comments