આજે આપણે ભરૂચ જિલ્લામાં વરસાદ પહેલા ભરાતા મેઘ મેળા વિશે વાત કારીશું.
ભરૂચ જિલ્લામાં ભરાતો મેઘ મેળો જેને આપણે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખીએ છીએ.
મેઘ મેળો શ્રાવણ વદ નોમના દિવસેથી લઈને ચાર દિવસ સુધી ભરાય છે.
મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાની ભાઇ પ્રજા દ્વારા મેઘરાજાની છડીનો આ ઉત્સવ ઉજવામાં આવે છે.
દંતકથા પ્રમાણે જોઈએ તો, એક સમયે ગુજરાતમાં મોટો દુષ્કાળ પડ્યો હતો. ત્યારે મેઘરાજાને મનાવવા માટે ભાઈ જ્ઞાતિના લોકો એ અષાઢી અમાસે મેઘરાજાની મૂર્તિ બનાવી અને તેની પૂજા કરી હતી.અને તેમને પ્રતિજ્ઞા લીધી હતી કે ૨૪ કલાકમાં વરસાદ ન પડે અમે મૂર્તિનું ખંડન કરી દઈશું. અને એટલું બોલતા જ વરસાદ વરસવા લાગ્યો. એ દિવસથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
ભાઈ જ્ઞાતિ દ્વારા મેઘરાજને કુળદેવ માનવામાં આવે છે.
તેઓ મેઘરાજાની મૂર્તિની દસ દિવસ સુધી પૂજા કરે છે અને દશમના દિવસે મૂર્તિને લઇને ગામમાં વારઘોડો કાઢે છે. અને છેલ્લે ગામની બહાર નર્મદા નદીમાં મૂર્તિને પધરવામાં આવે છે.
0 Comments