ભવનાથનો મેળો
મિત્રો, ગુજરાતમાં ગણા બધા એવા મેળા થાય છે. જેનું કઈક આગવું જ રહસ્ય છે. આજે હું તમારી સમક્ષ ભવનાથના મેળા ની વાત કરવા જઈ રહ્યો છું.
● ભવનાથ મહાદેવનો મેળો જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિરે ભરાય છે.
● ભવનાથનો મેળો વદ અગિયારસ થી મહાવદ અગિયારસ સુધીના સમયમાં ભરાય છે. આ સમયમાં મહાવદ તેરસ એટલેકે મહાશિવરાત્રીનો દિવસ મહત્વનો દિવસ ગણાય છે.
● મેળામાં મહાશિવરાત્રીના દિવસે નાગાબાવાઓનું સરઘસ નીકળે છે તે માહોલ કઈક અલગ જ હોય છે.
● એ શોભાયાત્રામાં જોડાય એ પહેલાં નાગાબાવાઓ અહીં આવેલા મૃગીકુંડમાં સ્નાન કરે છે.
● કહેવામાં આવે છે કે ભગવાન શિવ ખુદ અહીં સ્નાન કરવા આવે છે.
● મિત્રો ભવનાથના મેળાનો માહોલ જોવા જેવો હોય છે. શિવરાત્રીના દિવસે અહીંના દર્શન કરવાનો માહોલ જ કંઈક અલગ છે.
● તમારે તમારા જીવનમાં આ ભવનાથની તળેટીમાં ભરાતા મેળામાં એક વાર તો જરુરથી જવું જોઈએ.
0 Comments