શામળાજીનો મેળો
● મિત્રો હાલમાં કોરોનાની મહામારીના કારણે આપણા દેશમાં બધાના હિતને ધ્યાન માં રાખી ને બધા રાજ્યોમાં હાલમાં મેળાઓ બંધ કરી દેવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે.
● આજે હું શામળાજીના મેળાની વાત કરવા જઇ રહ્યો છું.
● મિત્રો શામળાજીનો મેળો (15 ઓગસ્ટ 2013ના રોજ) નવા બનેલા અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે ભરાય છે.(નોંધ :- આ અરવલ્લી જિલ્લાને સબરકાંઠા માંથી અલગ કરવામાં આવેલો છે.)
● શામલાજીના મેળા માટેનો મહત્વનો દિવસ કારતાકી સુદ પૂર્ણિમા છે. પરંતુ આ મેળાની શરૂઆત દેવ ઉઠી અગિયારસથી ત્રણ અઠવાડિયા સુધી ભરાય છે.
● શામલાજીના મેળામાં ફક્ત ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન,મધ્યપ્રદેશ અને આખા ભારતમાંથી આદિવાસી લોકો આ મેળામાં આવે છે.
● તેથી આ મેળાને આદિવાસીઓના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે.
● અહીં 'કાળીયા બાવજી' એટલે કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ આવેલી છે. તેમના પર શ્રદ્ધાળુઓનો અતૂટ વિશ્વાસ રહેલો છે.
● અહીં આવેલા આદિવાસી સમુદાયના લોકો મેશ્વો નદીમાં સ્નાન કરે છે. અને સાથે સાથે ભજન - કીર્તન પણ કરે છે.
● મિત્રો શામળાજીના મેળામાં તમે પણ જઇ ને દર્શન કરી શકો છો. ત્યાંનો મહિમા કંઈક અલગ જ હોય છે.
0 Comments